Tuesday, November 06, 2007

અર્થ શું કરવો?

અધુરા વિસ્તરણનો અર્થ શું કરવો?
અમસ્તાં આવરણનો અર્થ શું કરવો?

ખરેખર હોય નક્કી નાશ છેલ્લે,તો
પછી નામક્કરણ નો અર્થ શું કરવો?

મરીને પણ,ફરીથી જન્મ લેવાનો?
અરે! એવા મરણનો અર્થ શું કરવો?

જવાનું હોય ખાલીહાથ લઈ,અંતે
તો,મબલખ વેતરણનો અર્થ શું કરવો?

-ડૉ મહેશ રાવલ

1 Comments:

At 2:03 PM , Blogger JP said...

Very nicely said.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home