...હોય છે !
આ તરસનાં ભાગ્ય એવાં પણ લખેલાં હોય છે
કાં સમંદર,કાં અજાણ્યાં રણ લખેલાં હોય છે
આવડે જો વાંચતાં તો,એટલું અઘરૂં નથી
હર નયનમાં,આગવાં પ્રકરણ લખેલાં હોય છે !
વેંત છેટો ઉંબરો ક્યાં શક્ય છે ઓળંગવો ?
એ વિષે નિશ્ચિતપણે,કારણ લખેલાં હોય છે
કોણજાણે કઈપળે તૂટે રમકડું રાખનું ?
આપણાં અસ્તિત્વનાં કણ-કણ લખેલાં હોય છે
જિંદગીભર કોઈનો સંગાથ પામે નહીં,છતાં
આંસુઓમાં એ બધાં સગપણ લખેલાં હોય છે
ડૉ.મહેશ રાવલ
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home