Monday, April 14, 2008

મુસાફિર !


ચરણ જેમ રસ્તા વળેનહીં, મુસાફિર
બધું,વારસાગત મળેનહીં મુસાફિર !

સ્મરણ હોય કિસ્સા ભલે, મૂળરૂપે
છતાં અર્થ કંઈ નીકળેનહીં, મુસાફિર !

દશા-અવદશા, કર્મને હોય આધિન
દુઆ કંઈ બધાની ફળેનહીં, મુસાફિર !

અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લે
કદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર !

અજુગતું કશુંક જો બને તો, અલગ છે
મનુષ્યો, અમસ્તાં ભળેનહીં મુસાફિર !


ડો.મહેશ રાવલ

1 Comments:

At 2:18 AM , Blogger Pinki said...

અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લે
કદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર !

very nice....
musafirne lagtu ghanu lakhayu
pan aa j shabdane anulaxine !!
sunder.....

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home