મુસાફિર !
ચરણ જેમ રસ્તા વળેનહીં, મુસાફિર
બધું,વારસાગત મળેનહીં મુસાફિર !
સ્મરણ હોય કિસ્સા ભલે, મૂળરૂપે
છતાં અર્થ કંઈ નીકળેનહીં, મુસાફિર !
દશા-અવદશા, કર્મને હોય આધિન
દુઆ કંઈ બધાની ફળેનહીં, મુસાફિર !
અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લે
કદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર !
અજુગતું કશુંક જો બને તો, અલગ છે
મનુષ્યો, અમસ્તાં ભળેનહીં મુસાફિર !
ડો.મહેશ રાવલ
1 Comments:
અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લે
કદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર !
very nice....
musafirne lagtu ghanu lakhayu
pan aa j shabdane anulaxine !!
sunder.....
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home