...તોય શું ?
કિસ્સાતરીકે વાત જો ફેલાય, તોય શું ?
મારા વિષેની માન્યતા, બદલાય તોય શું ?
સંબંધનું આકાશ ખુદ દુષ્કાળગ્રસ્ત છે
સપનાં પ્રણયના, જળસભર દેખાય તોય શું ?
હું તો અધૂરા પર્વની તસ્વીર છું, હવે
ભીંતો ગમે તે રંગથી રંગાય, તોય શું ?
કાંડાવગરના હાથનું જ્યોતિષ, શું કરે !
નવગ્રહ, દસે દીશા, અસર, ચર્ચાય તોય શું ?
થીજી ગયેલા રક્તમાં ઉત્તેજના નથી
ઉત્કંઠ ઈચ્છા, કાનમાં ફૂંકાય તોય શું ?
મારા હ્રદયમાં, એકલો શૂન્યાવકાશ છે
ઉલ્લેખ કૂણી લાગણીનો થાય તોય શું ?
સાતેય કોઠે રંગહિન છાયા ફરીવળી
સૂરજ તપે, કે ચાંદની ઢોળાય તોય શું ?
સંવેદના જેવું કશું અસ્તિત્વમાં નથી
ગમતા વિષયની વારતા મંડાય તોય શું ?
નાજુક તબક્કે મોતની છે જીત -આખરે !
ખુલ્લી રહે કે આંખ આ, મિંચાય તોય શું ?
ડો.મહેશ રાવલ
3 Comments:
maja aavi gayi maheshbhai,
હું તો અધૂરા પર્વની તસ્વીર છું, હવે
ભીંતો ગમે તે રંગથી રંગાય, તોય શું ?
- સરસ અભિવ્યક્તિ... ભાવની તાજગી સ્પર્શી રહે છે...
વાહ.....
સુંદર ગઝલ....
લગે રહો મહેશભાઈ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home