Wednesday, September 10, 2008

પથરા તરે નહીં !


સપનાં ઉઘાડી આંખના, સાચા ઠરે નહીં
વીતી ગયેલા વાયરા, પાછા ફરે નહીં !

માણસ ગમે તે થઈ શકે, ઈશ્વર ન થઈ શકે
ક્યારેય એના નામથી પથરા તરે નહીં !

હદથી વધારે વિસ્તરે, તો જોખમી બને
હદમાં રહે, તો લાગણી હિબકા ભરે નહીં !

ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !

ભીનાંશ જેવું કંઈક છે જીવંત, આજપણ
અમથી સ્મરણની લીલ કંઈ વિસ્તરે નહીં !

સધ્ધર થવાની ઘેલછા, ઓકાત ભૂલવે
ક્યો આગિયાને, સૂર્યની ઈર્ષા કરે નહીં !

મારા ય ઘરની ભીંતને હો કાન, શક્ય છે
ઘરનાં વિષય લોકો સુધી અમથાં સરે નહીં !!


ડો.મહેશ રાવલ

5 Comments:

At 11:57 AM , Blogger Unknown said...

saras...many subjects are covered in one gazal

 
At 1:43 AM , Blogger Pinki said...

હદથી વધારે વિસ્તરે, તો જોખમી બને
હદમાં રહે, તો લાગણી હિબકા ભરે નહીં !

ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !

nicely expressed....!!

 
At 11:34 PM , Blogger વિવેક said...

સુંદર ગઝલ...

ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !

ભીનાંશ જેવું કંઈક છે જીવંત, આજપણ
અમથી સ્મરણની લીલ કંઈ વિસ્તરે નહીં !

- આ બે શેર સ્પર્શી ગયા...

 
At 3:21 AM , Blogger Unknown said...

lagani ne had hoy ? na na

 
At 8:16 PM , Blogger Unknown said...

SUPERB!!!!!!!!!!!!!

BAHUJ MAJA AVI GAYI.......
THANKS

GAURANG RAWAL

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home