પથરા તરે નહીં !
સપનાં ઉઘાડી આંખના, સાચા ઠરે નહીં
વીતી ગયેલા વાયરા, પાછા ફરે નહીં !
માણસ ગમે તે થઈ શકે, ઈશ્વર ન થઈ શકે
ક્યારેય એના નામથી પથરા તરે નહીં !
હદથી વધારે વિસ્તરે, તો જોખમી બને
હદમાં રહે, તો લાગણી હિબકા ભરે નહીં !
ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !
ભીનાંશ જેવું કંઈક છે જીવંત, આજપણ
અમથી સ્મરણની લીલ કંઈ વિસ્તરે નહીં !
સધ્ધર થવાની ઘેલછા, ઓકાત ભૂલવે
ક્યો આગિયાને, સૂર્યની ઈર્ષા કરે નહીં !
મારા ય ઘરની ભીંતને હો કાન, શક્ય છે
ઘરનાં વિષય લોકો સુધી અમથાં સરે નહીં !!
ડો.મહેશ રાવલ
5 Comments:
saras...many subjects are covered in one gazal
હદથી વધારે વિસ્તરે, તો જોખમી બને
હદમાં રહે, તો લાગણી હિબકા ભરે નહીં !
ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !
nicely expressed....!!
સુંદર ગઝલ...
ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !
ભીનાંશ જેવું કંઈક છે જીવંત, આજપણ
અમથી સ્મરણની લીલ કંઈ વિસ્તરે નહીં !
- આ બે શેર સ્પર્શી ગયા...
lagani ne had hoy ? na na
SUPERB!!!!!!!!!!!!!
BAHUJ MAJA AVI GAYI.......
THANKS
GAURANG RAWAL
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home